62018Feb

Splendid Farma Event

ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા સ્પ્લેનડીડ ફાર્મા ના સહિયોગ થી ગત તા:- ૦૩/૦૨/૨૦૧૮ ના રોજ એક પ્રોગ્રામ નુ આયોજન કરેલ જેનો હેતુ ડૉ.ડી.પી.ચીખલિયા સાહેબ ની અવિરત સેવા બદલ તથા તેઓ “ઓલ ઇન્ડિયા સર્જન્સ એસોસિએશન ગુજરાત સ્ટેટ ચેપ્ટર- ૨૦૧૮” ના પ્રમુખ તરીકે ચુટાયા તે બદલ જુનાગઢ ની સેવાભાવી સંસ્થાઓ તથા ત્રિમૂર્તિ હોસ્પિટલ ના તમામ બીજા ડોકટરો અને સ્ટાફ દ્વારા તેમને બિરદાવવા તથા ચીખલિયા સાહેબે અત્યાર સુધી કરેલા સેવા કર્યો અને તેમણે તેમના યુવાવસ્થા માં કરેલા સંઘર્ષ ની યાદો તાજા કરાવી હતી.
આ પ્રોગ્રામ માં :-
જૈન જાગૃતિ સેન્ટર ના પ્રમુખ શ્રી જયદીપ પારેખ, તથા શ્રી જયેશભાઈ અવલાની,
સત્યમ યુવક મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાઝા
જૈન સોસિયલ ગ્રુપ ના પ્રમુખ શ્રી કમલેશભાઈ અવલાની તથા શ્રી ધર્મેન્દ્રભાઈ મોદી,
સરસ્વતી સ્કુલ ના સંચાલક શ્રી નરેશભાઈ ખીમાણી,
આ ઉપરાંત કો.કો. બેંક ના ચેરમેન શ્રી આશિષભાઈ પારેખ, ડીરેક્ટર શ્રી નિકેશભાઈ મશરૂ,
સ્પ્લેન્ડીડ ફાર્માસ્યુટિકલસ ના ચેરમેન શ્રી મનોજભાઈ માલવિયા,મેનેજિંગ ડીરેક્ટર શ્રી અતુલભાઈ મોદી,
વાઈઝ ચેરમેન શ્રી કૌશિકભાઈ માલવિયા.
ત્રિમૂર્તિ હોસ્પિટલ પરિવાર કે જેમાં તમામ ડોકટરો તથા હોસ્પિટલ સ્ટાફ.
આમ આ બધી સેવાભાવી સંસ્થાઓ, ફાર્મા કંપની, કો.કો.બેંક, ત્રિમૂર્તિ હોસ્પિટલ ના અગ્રણીઓએ ચીખલિયા સાહેબ ને શાલ ઓઢાડી, મોમેન્ટો આપી તેમનું સન્માન કર્યું હતું અને સુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ માં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડી.ટી.સોની સાહેબે ઉપસ્થિત આપી હતી અને ડૉ.ડી.પી.ચીખલિયા સાહેબને અભિનંદન પાઠવ્યા હતા.